ઉપરાંત સુરત જિલ્લામાં વિવિધ પડતર પ્રશ્નો બાબતે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર એ.નાયક દ્વારા તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજ મા. જિલ્લા વિકાસ અધિકારી શ્રી,સુરતને રાજુઆત કરવામાં આવેલ હતી.સદર રજૂઆતના સંદર્ભમાં મા.જિલ્લા વિકાસ અધિકારી શ્રી,સુરત દ્વારા તા.૦૫/૦૪/૨૦૨૪.ના રોજ સુરત જિલ્લાના કાર્યક્ષેત્રમાં તમામ તાલુકા વિકાસ અધિકરીશ્રીઓને દર્શનકુમાર એ.નાયકની રજૂઆતના સંદર્ભમાં તપાસ કરી નિયમોનુસાર કાર્યવાહી કરવા જણાવેલ છે તથા કરેલ કાર્યવાહીની જાણ સબંધિત કચરીઓ અને અરજદારને કરવા જણાવેલ છે
સુરત : ગુજરાત તકેદારી આયોગ દ્વારા દર્શન નાયકની બારડોલી નગરપાલિકાની અમીરસ હોટેલથી અલંકાર સિનેમા કેનાલ રોડની બંને બાજુ રોડ બનાવવાની કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચારની ફરિયાદ બાબતે તપાસ સોંપવામાં આવી હોવાનું જાણવા મળત્ય છે. પ્રાપ્ત વિગતો મુજબ બારડોલી નગરપાલિકાની અમીરસ હોટેલથી અલંકાર સિનેમા કેનાલ રોડની બંને બાજુ રોડ બનાવવાની કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે તપાસ કરી કસૂરવાર સામે કાર્યવાહી કરવા બાબતે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર એ.નાયક દ્વારા તા.૧૧/૧૦/૨૦૨૩ ના રોજ ગુજરાત તકેદારી આયોગમાં કરવામાં આવેલ હતી. જે ફરિયાદના અનુસંધાનમાં મા. સેક્શન અધિકારી,ગુજરાત તકેદારી આયોગ દ્વારા પત્ર ક્રમાંક: જ્ઞખગ/૧૬/૨૦૨૩/૩૭૪૧૭/એ મા.અગ્ર સચિવ શ્રી,શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ,બ્લોક નંબર ૧૮,સચિવાલય,ગાંધીનગરને ઉક્ત રજુઆતને આધારે ગુણદોષ આધારિત ચકાસણી કરીને નિયમોનુસાર જરૂરી કાર્યવાહી કરવા અને અરજદારને પ્રતિઉત્તર પાઠવવા જણાવેલ છે. આ ઉપરાંત સુરત જિલ્લામાં વિવિધ પડતર પ્રશ્નો બાબતે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર એ.નાયક દ્વારા તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજ મા. જિલ્લા વિકાસ અધિકારી શ્રી,સુરતને રાજુઆત કરવામાં આવેલ હતી.સદર રજૂઆતના સંદર્ભમાં મા.જિલ્લા વિકાસ અધિકારી શ્રી,સુરત દ્વારા તા.૦૫/૦૪/૨૦૨૪.ના રોજ સુરત જિલ્લાના કાર્યક્ષેત્રમાં તમામ તાલુકા વિકાસ અધિકરીશ્રીઓને દર્શનકુમાર એ.નાયકની રજૂઆતના સંદર્ભમાં તપાસ કરી નિયમોનુસાર કાર્યવાહી કરવા જણાવેલ છે તથા કરેલ કાર્યવાહીની જાણ સબંધિત કચરીઓ અને અરજદારને કરવા જણાવેલ છે.