સુરત : આર્થિક તંગીને કારણે આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે સુરતમા વધુ એક આપઘાતની ઘટના બની છે જેમાં બે સગા ભાઈઓએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે. આ ઘટના અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા બે સગા ભાઈઓએ અનાજમાં નાખવાની દવા પીને મોતને વહાલું કરી લીધું છે. બંને ભાઈઓએ આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હોવાનું કહેવાય રહ્યું છે. પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર બંને ભાઈઓના નામ હિરેન સુતરિયા અને પરીક્ષિત સુતરીયા હોવાનું જાણવા મળ્યું છે. બંને ભાઈઓ હીરા ઘસવાનું કામ કરતા હતા. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે લોનના હપ્તા નહીં ભરાતા બંને ભાઈઓએ આ પગલું ભર્યું છે.